Principal Desk

  • Home
  • -
  • Principal Desk

Principal Desk

Message from Director of Nalanda Vidhyalay

Teacher
Mrs. Krupa Desai

Principal

Message from Principal

આજના સ્પર્ધાત્મક યુગમાં નાલંદા વિદ્યાલય એક વર્ષ પરિપૂર્ણ કરી વટવૃક્ષ ધારણ કરવા પ્રયાણ કરી રહી છે તેનો આનંદ અને ગૌરવની લાગણી હું અનુભવી રહી છું. વિધા, કલા અને સંસ્કૃતિનું નાવિન્યકરણ એટલે ‘નાલંદા વિદ્યાલય’. વિધાર્થીઓનો ઉત્કૃષ્ટ વિદ્યાકીય વિકાસ થાય એ જ શાળાનું મુખ્ય પ્રયોજન છે. અમારી શાળાએ નદીના પ્રવાહ જેવી છે, જેમાં યૌવનના ઉછાળા છે. પાણીની તાજગી છે. અને વેહેવાનો થનગનાટ છે. શાળાનો પ્રત્યેક દિવસ પ્રવૃતિમય હોય છે. આ સર્જનાત્મકતા એના નિષ્ઠાવાન શિક્ષકો અને ઊર્મિશીલ ઉત્શાહી વિધાર્થીગણની છે. મને નમ્રપણે દ્ધઢ શ્રધ્ધા છે કે વિધાર્થીઓ અહીં ચાલતી જ્ઞાનની પરબનું પાણી પી પોતાના યથાર્થ સ્વરૂપને જાણશે; પોતાના અભ્યાસને અભાયાસ્તરે સહશૈક્ષણિક પ્રવૃતિઓને માનશે. નાલંદા વિદ્યાલય એ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી રહી છે. પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ નહિ પરંતુ સર્વાંગી શિક્ષણના આધારરૂપ અનેકવિધ પ્રવુતિઓ દ્વારા આજના ટેકનોલોજી યુગમાં વિધાર્થીને અગ્રેસર બનાવવાની તક પૂરી પાડી રહી છે. આવી પ્રવૃતિ દ્વારા તેમનામાં રહેલા કોશલ્યો, આત્મવિશ્વાસ અને સંવેદનશીલતા કેળવવાના પ્રયત્નો શાળા કરી રહી છે.

“ we not only teach, but touch lives ” એ અમારો પ્રયત્ન બની રહ્યો છે. ઉત્કૃષ્ટતાના માર્ગ ઉપર શાળા મક્કમ પગલાં ભરી રહી છે. માત્ર વિધાર્થી અભ્યાસકીય ક્ષેત્રે સર્વોતમ બને એટલું જ નહિ; સાથે સાથે ઈતરપ્રવુતિમાં પણ અગ્રીમતા પ્રાપ્ત કરે તે હેતુસર નિષ્ણાંત કોય દ્વારા ડાન્સ, કરાટે અને જિમનાસ્તિકના વર્ગો ચલાવવામાં આવે છે. દર અઠવાડિયે વીકલી કસોટી દ્વારા વિધાર્થીનું સતત મૂલ્યાંકન કરવામાં આવે છે તેમજ દર માસે વાલી મીટીગનું આયોજન કરી વાલી-શિક્ષક-આચાયર્ના પ્રત્યાયન દ્વારા વિધાર્થીની અંદર રહેલી સુષુપ્ત શક્તિનું સૂક્ષ્મ-વિશ્લેષણ કરી તેને અનુરૂપ તેના વિકાસ માટે પગલાં લેવામાં આવે છે. વાર્ષિકોત્સવ અને રમતોત્સવના આયોજન દ્વારા તેમનામાં રહેલી કૌશલ્ય કલાને બિરદાવવામાં આવે છે. વિધાર્થીમાં જીવનલક્ષી અભિગમ અને દ્રષ્ટિકોણ કેળવાય તે હેતુથી પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. વિજ્ઞાનપ્રવાહના વિધાર્થીઓ માટે શાળામાં જ ઉત્તમ શિક્ષકો દ્વારા JEE, NEET, GUJCAT ના વર્ગો ચલાવવામાં આવે છે. શાળામાં વિધાર્થીને એ પ્રકારે તૈયાર કરવામાં આવે છે. કે જેથી ભવિષ્યના ઉરચ અભ્યાસ તથા કારકિર્દી સ્થાપનાના સમયે તમામ પડકારોનો સામનો કરી શકવાનો સક્ષમ બને. સમય અને સમાજની માંગ પ્રમાણે સ્પોકન ઇંગ્લિશ સાથે હાયર એજયુકેશન તથા કમ્પુટર સ્માર્ટ બોર્ડ અને અપગ્રેડેડ એજયુકેશન સોફ્ટવેર સહિતના ડીજીટલ વર્ગખંડો સહિત વિશીષ્ટ અને અસરકારક શિક્ષણ પદ્ધતિ દ્વારા શૈક્ષણિક કાર્ય પર ભાર મૂકવામાં આવશે.

શ્રીમતી કૃપા દેસાઈ

આચાર્યશ્રી,

(માઘ્યમિક અને ઉરચતર માઘ્યમિક વિભાગ.)

Teacher
Mrs. Vaibhavi Desai

Principal

Message from Principal

સફળ શિક્ષણ સફળ જીવનનો પાયો છે. નાલંદા વિદ્યાલય સામાજિક ઉત્થાનના ધ્યેયને ધ્યાનમાં રાખીને શિક્ષણનો ફેલાવો થાય, સમાજના તમામ સ્તરના બાળકોને શિક્ષણ મળે એ સાંપ્રત સમયની માંગને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ છે. “ NO DONETION AND NO DEPOSITE ” નાં સિદ્વાંત પર બાળકોને પ્રવેશ આપી શિક્ષણકાર્ય કરવામાં આવે છે. નાલંદા વિધાલય વિધાર્થીની પ્રતિભાને ઓળખીને વિધાર્થીના ધ્યેય સુધી પહોચવામાં મદદ કરે છે. કુમળા વેલાને જેમ ટેકો દઈને ઉપર ચઢાવવામાં આવે છે તેમ વિધાર્થીઓનાં ઉત્સાહમાં વધારો કરી તેના ધ્યેયને પ્રાપ્ત કરે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. બાળકોને ભણાવવાની પદ્ધતિ બાળકના વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે. પ્રેકિટકલ અને સર્જનાત્મક ભણતર વિધાર્થીને પોતાનું હુન્નર પારખીને મનગમતી કારકિર્દી પસંદ કરવામાં મદદરૂપ થાય છે.

દરેક બાળકોમાં અનેરી ક્ષમતા હોય છે. આ ક્ષમતાને ધ્યાનમાં રાખી અભ્યાસ આધારિત મૂલ્યાંકન પ્રવિધિ દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ‘જ્ઞાન સાથે ગમ્મત’ આ સુત્રને ધ્યાનમાં લઇ પ્રિ-પ્રાયમરી વિભાગના વિધાર્થીઓને પ્રવુતિલક્ષી શિક્ષણ આપવામાં આવે છે જેથી તેમનો ઉત્સાહ જળવાય રહે.

શાળામાં શિક્ષણની સાથે થતી ઈતરપ્રવુતિઓ જેવી કે, ડાન્સ, કરાટે અને જિમનાસ્તિક વગેરે શારીરિક વિકાસની પ્રવુતિઓ તથા વિવિધ ઉજવણી જેમ કે, જન્માષ્ટમી, શિક્ષકદિન, નવરાત્રીમહોત્સવ, રમતોત્સવ, પ્રવાસ-પર્યટન, વાર્ષિકોત્સવ વગેરેની ઉજવણી ખુબ જ હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે. વળી આજના સપર્ધાત્મક યુગમાં બાળકો પોતાની પ્રતિભાને આગળ લાવી શકે તે માટે વિવિધ સ્પર્ધા યોજવામાં આવે છે. જેથી તેમનામાં સપષ્ટ ધ્યેય, આત્મવિશ્વાસ દ્રષ્ટિકોણ જેવા ગુણોનો વિકાસ થાય. બાળકોમાં એ સંસ્કાર અને ગુણોનું સિંચન કરવા અમારી નાલંદા વિદ્યાલયનાં ઉત્શાહી શિક્ષકો કાર્યરત છે.

શ્રીમતી વૈભવી દેસાઈ

આચાર્યશ્રી,

(પ્રાથમિક વિભાગ.)